સુપર સ્‍પ્રેડર બનેલા ભાજપના નેતાઓના ટેસ્‍ટ કરાવવા જોઈએ:ધારાસભ્ય ગ્‍યાસુદ્દીન શેખની જોરદાર માંગ

0
627

સરકારની બેવડી નીતિ, અને ઘોર બેદરકારીના કારણે કોરોનાના કેસ વધી રહ્‌યા છે.કેટલીક કંપનીઓને કરોડો નો ફાયદો કરાવવા માટે માત્રને માત્ર એન્‍ટીજન ટેસ્‍ટની ફરજ પડાઈ રહી છે

By Abdulhafiz Lakhani Gandhinagar

Gujarat siyasat: વિધાનસભા ગૃહમાં આજે આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્‍યમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં નમસ્‍તે ટ્રમ્‍પ કાર્યક્રમમાં લાખો લોકોની ભીડ ભેગી કર્યા બાદ બાદ પ્રથમ લહેર, દિવાળીના તહેવારો પછી બીજી લહેર અને હવે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અને નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડીયમમાં ક્રિકેટ મેચ રમાડી હજારો લોકોની ભીડ ભેગી કર્યા પછી પછી ત્રીજી લહેર જોવા મળી રહી છે. રાજ્‍ય સરકારની ઘોર બેદરકારીને કારણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ મળ્‍યું છે.

કોરોનાની પ્રથમ લહેર બાદ કોરોના વોરીયર્સ, ફ્રન્‍ટ લાઈન વર્કર્સ અને જાગૃત નાગરિકોની મહેનતના કારણે કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્‍યો હતો પણ ફરી દિવાળી બાદના દિવસોમાં કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી હતી. તહેવારોમાં ભીડ એકઠી થવાના કારણે કોરોના સંક્રમણમાં અતિશય વધારો જોવા મળ્‍યો હતો. અમદાવાદ શહેરમાં બેડ ખુટી પડવાની પરિસ્‍થિતિ ઉભી થઈ હતી. અમદાવાદના કોરોના પોઝીટીવ દર્દીઓને છેક ગાંધીનગરના કલોલ અને ખેડા જિલ્લામાં તથા છેક વડોદરા સુધી દાખલ કરવા માટે મોકલવા પડતા હતા. આમાંથી રાજ્‍ય સરકારે શીખ લઈને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અને નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડીયમમાં ક્રિકેટ મેચ વખતે સાવચેતી ન દાખવી અને હજારો-લાખો લોકોની ભીડ ભેગી કરી જેના કારણે આજે સમગ્ર રાજ્‍યને કોરોનાએ ભરડામાં લીધું છે.

તા. ૨૧ માર્ચ, ૨૦૨૧ની સ્‍થિતિએ રાજ્‍યમાં કોરોનાના ૨,૨૮,૫૫૯ કેસ નોંધાઈ ચૂક્‍યા છે, જે પૈકી ૭,૩૨૧ એક્‍ટીવ કેસ છે. અમદાવાદ શહેરમાં ૬૨,૭૭૩ કેસ નોંધાયા છે. રાજ્‍યમાં ૪,૪૫૦ મૃત્‍યુ નોંધાઈ ચૂક્‍યા છે, જે પૈકી માત્ર અમદાવાદ શહેરમાં ૨,૨૭૮ મૃત્‍યુ નોંધાયા છે.

સમગ્ર રાજ્‍યમાં કોરોનાની ફેલાયેલ ત્રીજી લહેર માટે રાજ્‍ય સરકારની ત્રુટિઓ જવાબદાર છે. નરેન્‍દ્ર મોદી સ્‍ટેડીયમમાં ક્રિકેટ મેચો રમાડી, જેમાં ૫૦% ટીકીટો વહેંચીને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ રાખવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ જ્‍યારે મેચમાં પ્રેક્ષકોના ફોટા સોશ્‍યલ મીડીયામાં વાઈરલ થયા હતા ત્‍યારે ખૂબ ઓછી સીટો ખાલી હોવાનું જણાયેલ. હજારોની સંખ્‍યામાં પ્રેક્ષકોને ભેગા કરીને કોરોના સંક્રમણને આમંત્રણ આપવામાં આવેલ

ભાજપ સરકારની બેવડી નીતિ અને ઘોર બેદરકારીના કારણે અમદાવાદ શહેર સહિત રાજ્‍યમાં કોરોનાના કેસ સતત વધી રહ્‌યા છે. અમદાવાદ શહેર કે રાજ્‍યમાં કોઈ માસ્‍ક ન પહેરે તો રૂ. ૧,૦૦૦નો ફરજીયાત દંડ વસુલવામાં આવે છે પણ ભાજપના ચૂંટાયેલા ૧૬૦ કોર્પોરેટરો ગાંધીનગરના ફાર્મ હાઉસમાં ટીફીન મીટીંગ કરે છે, માસ્‍ક પહેરતા નથી તો પણ તેઓને કોઈ દંડ કરવામાં આવતો નથી. સામાન્‍ય માણસો નિયમોનો ભંગ કરે તો દંડ વસુલવા અને પાસા લગાડવા સહિતના પગલાં લેવાય છે, જ્‍યારે ભાજપના નેતાઓ નિયમો તોડે તો તેમને દંડ કરવાની હિંમત નથી. અમદાવાદ શહેરમાં ગરીબ ફેરીયાઓ, મધ્‍યમવર્ગના વેપારીઓને સુપર સ્‍પ્રેડર ગણીને તેમના ટેસ્‍ટ કરવામાં આવી રહ્‌યા છે પરંતુ અમદાવાદ સહિત રાજ્‍યના ખુણે-ખુણે સુધી કોરોના સંક્રમણ ફેલાવવા બદલ ભાજપના નેતાઓ જ જવાબદાર છે. સુપર સ્‍પ્રેડર બનેલા ભાજપના નેતાઓના ટેસ્‍ટ કરાવવા જોઈએ. ભાજપ સરકારની રાજકીય ઈચ્‍છાશક્‍તિની કમી કોરોનાના ફેલાવા માટે સંપૂર્ણ જવાબદાર છે.

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્‍ય સરકારના કેટલાક નેતાઓ અને અધિકારીઓને માત્રને માત્ર એન્‍ટીજન કરાવવામાં જ રસ છે. એન્‍ટીજન ટેસ્‍ટની વિશ્વસનીયતા માત્રને માત્ર ૬૦% જેટલી જ છે, ૧૦ કેસમાંથી માત્ર ૬ કેસમાં સાચા પરિણામ આવે છે, છતાં કેટલીક કંપનીઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે માત્રને માત્ર એન્‍ટીજન ટેસ્‍ટની ફરજ પડાઈ રહી છે.

રાજ્‍ય સરકારે પોલીસ સ્‍ટેશનદીઠ દંડ ઉઘરાવવા માટે પ્રતિ દિનનો ટાર્ગેટ આપવામાં આવેલ. જેના આધારે માસ્‍કના નિયમના ભંગ બદલ સરકાર દ્વારા રૂ. ૧૬૫ કરોડ જેટલો દંડ સમગ્ર રાજ્‍યમાંથી ઉઘરાવવામાં આવ્‍યો છે. રાજ્‍ય સરકારે બધું પ્રજાના માથે ન નાંખતા થોડું પોતાના માથે લઈને પણ પ્રજાને કોરોનામાંથી બહાર લાવવી જોઈએ. વી.એસ. હોસ્‍પિટલ અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવી છે. એસવીપી હોસ્‍પિટલ, સિવિલ હોસ્‍પિટલ, કીડની હોસ્‍પિટલ, કેન્‍સર હોસ્‍પિટલમાં ફક્‍ત કોરોનાના દર્દીઓની સારવાર થતી હતી અને ખાનગી હોસ્‍પિટલો અન્‍ય રોગોના દર્દીઓની સારવાર કરતા નહોતા, જેના પરિણામે કોરોના કરતા અન્‍ય રોગોથી મૃત્‍યુનું પ્રમાણ વધ્યું હતું. કોરોનાનું સંક્રમણ અત્‍યંત વધ્‍યું છે ત્‍યારે આ હોસ્‍પિટલોમાં કોરોનાની સાથોસાથ હાર્ટ, કીડની, કેન્‍સર વગેરે જેવા ગંભીર અને અન્‍ય રોગોની નિઃશુલ્ક સારવાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડધારકોને ફરજિયાત મળી રહે તેવી વ્‍યવસ્‍થા તાત્કાલિક ગોઠવવી જોઈએ.

રાજ્‍યમાં આજે કોરોનાના કારણે ઉભી થયેલ પરિસ્‍થિતિ મોંઘવારી-બેકારી-આર્થિક મુશ્‍કેલીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે લોકો કોરોનાના કારણે મરી જવાનું કહે છે, પરંતુ ભૂખ્‍યા મરવાની ના પાડે છે. કોરોના વધતા અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસોની સેવા બંધ કરી દેવામાં આવી છે ત્‍યારે શ્રી શેખે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શું એ.એમ.ટી.એસ.ની કે બી.આર.ટી.એસ.ની બસોમાંથી જ કોરોના ફેલાય છે, શું એસ.ટી. બસોમાં પ્રવાસીઓ મુસાફરી નથી કરતા ?

પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ સ્‍ટેશનદીઠ દંડ ઉઘરાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવતો હતો જેના પરિણામે પોલીસની મહેરબાની પર નભતા નાના માણસો જેવા કે, પાથરણાવાળા, લારીવાળા, નાના દુકાનદારો વગેરે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન કરતા હોવા છતાં તેઓ પાસેથી ટાર્ગેટ પૂરો કરવા પોલીસ દ્વારા ફરજિયાત દંડ વસુલવામાં આવતો હતો. ઘણા કિસ્‍સાઓમાં એક વ્‍યક્‍તિ પાસે રૂ. ૧,૦૦૦ ન હોય તો ત્રણ વ્‍યક્‍તિઓ પાસેથી પૈસા ભેગા કરીને પણ રૂ. ૧,૦૦૦નો દંડ વસુલી એક પાવતી આપવામાં આવતી હતી. પોલીસ તંત્ર દ્વારા પ્રજા અને આવા નાના માણસો પ્રત્‍યે સહાનુભૂતિ રાખી સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ અને માસ્‍કના નિયમોનું પાલન થતું હોવા છતાં બળજબરીપૂર્વક દંડ ન વસુલવો જોઈએ.

શ્રી શેખે જણાવ્‍યું હતું કે, ખાનગી હોસ્‍પિટલો ડેઝીગ્નેટેડ કરી સરકાર દ્વારા બેડ અનામત રાખવામાં આવે છે પરંતુ તેમાં કોરોનાના ગંભીર દર્દીઓને વેન્‍ટીલેટરની સુવિધા આપવામાં આવતી નથી. ખાનગી હોસ્‍પિટલોમાં ખાનગી બેડ પર દાખલ થયેલા દર્દીઓને જ આ સુવિધાનો લાભ આપવામાં આવે છે. તમામ દર્દીઓને એકસરખી સુવિધા મળે તે જોવાની જવાબદારી સરકારની છે.

શ્રી શેખે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્‍યું હતું કે, કોરોના મહામારી સમયે જનજાગૃતિ લાવવા તથા કોરોનાને કાબુમાં લેવા ચૂંટાયેલા સંસદસભ્‍યો, ધારાસભ્‍યો સાથે સંકલન સમિતિની બેઠક બોલાવવી અત્‍યંત જરૂરી છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કમિશ્નરશ્રી મુકેશકુમાર છેલ્લા ૧૩ મહિનાથી સંકલન સમિતિની બેઠક બોલાવતા નથી. તેઓ પોતાની કચેરીમાં પણ હાજર રહેતા નથી અને રીવરફ્રન્‍ટ ખાતેથી જ અમદાવાદ શહેરનો વહીવટ કરે છે. અમદાવાદ શહેરની જવાબદારી જે અધિકારીને સોંપવામાં આવી છે તે રાજીવ ગુપ્‍તા કે જેમનો સ્‍વભાવ અત્‍યંત તુમાખીભર્યો હોઈ તેઓ ધારાસભ્‍યો અને સંસદસભ્‍યોને પણ મળતા નથી, જેથી અધિકારીઓની સાથોસાથ શહેર-જિલ્લાવાર પ્રભારી મંત્રીઓને જવાબદારી સોંપવી જોઈએ.

(www.siyasat.net is Ahmedabad, Gujarat, India based Website, powered by Gujarat siyasat, a Fortnightly)

An Appeal For The Sake Of Upright & Fearless Brand Of Journalism

To sustain and improve our coverage. Gujarat siyasat- a vernacular Fortnightly and English٫ Hindi Website www.siyasat.net

Your little but timely support is needed۔

Bank details، GUJARAT SIYASAT, Current Account 204720110000318, ifsc code BKID0002047 BANK OF INDIA , VASNA BRANCH, AHMEDABAD GUJARAT INDIA
Also on Phone pay, Paytm,Google pay +91 9925531111

We hope you help and see siyasat.net grow. And rejoice that your contribution has made it possible.

सत्य को ज़िंदा रखने की इस मुहिम में आपका सहयोग बेहद ज़रूरी है। आपसे मिली सहयोग राशि हमारे लिए संजीवनी का कार्य करेगी और हमे इस मार्ग पर निरंतर चलने के लिए प्रेरित करेगी। याद रखिये ! सत्य विचलित हो सकता है पराजित नहीं।

Regards,
Abdulhafiz Lakhani
editor@siyasat.net, Ahmedabad. Gujarat